અમદાવાદમાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ પ્લાન્ટ કરવા માટે તમામ સ્થળોએ એક એક વ્યક્તિ જ ગયો હોવાની વિગતો પકડાયેલા શખ્સોની પુછપરછમાં બહાર આવી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 26 જુલાઈએ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરવા માટે તમામ સ્થળોએ એક થી વધુ વ્યક્તિઓ હાજર હોય તેવું માનવામાં આવતું હતું. પણ પકડાયેલી પુછપરછમાં જાણવા મળ્યું કે બોમ્બ સ્થળે ફ્કત એક જ વ્યક્તિ ગયો હતો. અને, તેણે બોમ્બ મુક્યો તેનાં અડધા કલાક બાદ વિસ્ફોટ થયા હતાં.