શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: મુંબઈ , બુધવાર, 29 ઑક્ટોબર 2008 (19:05 IST)

મુંબઈમાં યુપીનાં એક નાગરિકની હત્યા

મંગળવાર રાત્રે મુંબઈમાં વધુ એક ઉત્તર ભારતીયની હત્યા કરી દેવામાં આવી હતી. લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં ઉત્તર પ્રદેશનાં એક નાગરિકની મનસેનાં કાર્યકર્તાઓએ મારપીટ કરીને હત્યા કરી નાંખી હતી.

મહારાષ્ટ્ર સરકારે મૃત્યુ પામનાર ધર્મદેવ રાય નાં પરિવારને બે લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમજ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની જાહેરાત કરી હતી.

જ્યારે માયાવતી સરકારે પણ ધર્મદેવનાં પરિજનોને બે લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી. તેમજ આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી.