ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 10 જૂન 2013 (12:55 IST)

મોદી પીએમ ઇન વેઇટીંગ થાય તો દેશસેવા?

P.R
કોંગ્રેસ અગ્રણી મોઢવાડીયાએ આજે બે પાનાની અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું છે કે મધ્યકાલીન યુગની જેમ મોદી પોતના જ ગુરૂ અડવાણીની છાતી પર પગ મુકી દિલ્હીની ગાદી સર કરવા નીકળ્યા છે પરંતુ તેમનો ભુતકાળ જોતાં મોદી અડવાણી સાથે પણ એવો જ વ્યવહાર કરશે જેઓ કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા વગેરે સાથે કર્યો હતો.

તેમણે કોંગ્રેસના આંતરકલહની ચિંતા કરવાને બદલે ભાજપના આંતરકલહ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને અડવાણીનો પક્ષ લઇને જાણે કે અડવાણી તેમના પક્ષના નેતા હોય અથવા તેઓ પોતે ભાજપના નેતા હોય તેમ એમ કહ્યું છે કે "અડવાણી આ ઉંમરે પીએમ ઇન વેઇટીંગ થાય તો તેને મોહમાયા ગણાવાય અને મોદી પીએમ ઇન વેઇટીંગ થાય તો દેશસેવા ?" મોઢવાડીયાએ ગુજરાત કોંગ્રેસમાં જુથબંધીની ચિંતા કરી નથી. વિધાનસભાની ચૂંટણીઓમાં ટીકીટોની વહેંચણી બાદ આ જુથબંધી વકરી હતી અને કોંગ્રેસમાંથી નરહરિ અમીન જેવા વગદાર નેતાને જવું પડ્યું તે પ્રત્યે કોઇ દુઃખ વ્યક્ત કરવાને બદલે તેમણે ભાજપની ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું કે ભાજપના જનોઇવઢ ઘાની જેમ ઉભા બે ફાડીયા થઈ રહ્યા છે ત્યારે દેશની જનતા ભાજપનું આ સ્વરૂપ જોઇને દુઃખી થઈ રહી છે. મોઢવાડીયા જાણે કે મોટા રાજકીય પંડિત અને જ્યોતિષી હોય તેમ એવી આગાહી કરી છે કે ભુલેચુકે પણ આ સત્તાલાલચુના હાથમાં સત્તા આવી જાય તો દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે. આ તબક્કે મોઢવાડીયા ભુલી ગયા કે કોંગ્રેસના ગૃહયુદ્ધને કારણે જ કારમો પરાજય સહન કરવો પડ્યો હતો.