ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|

મોદી મગરના આસુ સારે છે - કોંગ્રેસ

મોદીની લાશ ઉપર રાજનીતિ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાશો ઉપર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પટેલે કહ્યું હતું કે, જયારે મુંબઇમાં આતંકવાદી હુમલાના સમયે સમગ્ર દેશ સ્તબ્ધ હતો ત્યારે એવા સમયે પણ મોદીએ રાજનીતિ કરવાનો અવસર છોડ્યો ન હતો.

તેમણે કહ્યું કે, જ્યારે આપણા જાબાંઝ જવાનો આતંકવાદીઓ સાથે લડી રહ્યા હતા ત્યારે કેટલાક શહીદ પણ થયા હતા. આવા સમયે મોદી શહાદતને રૂપિયામાં તોલવાનું કામ કરી રહ્યા હતા. જોકે શહીદોના પરિવારજનોએ મોદી દ્વારા જાહેર કરાયેલ મદદ લેવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, કેટલાક દિવસ પૂર્વે મોદીએ આતંકવાદ વિરોધ દળના શહીદ થયેલા પૂર્વ પ્રમુખ હેમંત કરકરે પર દુબઇ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કરકરે આતંકવાદીથી લડતા શહીદ થયા તો મોદી તેમની શહાદત ઉપર મગરના આંસુ સારી રહયા છે.