ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 21 મે 2014 (16:41 IST)

મોદીએ ગુજરાતના સીએમ પદથી રાજીનામુ આપ્યુ, આનંદીબેન પટેલ બનશે નવા CM

ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. બુધવારે બપોરે તેમણે રાજ્યપાલ કમલા બેનીવાલને મળીને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ. 
 
મોદીના રાજીનામા બાદ બીજેપીના સભ્ય ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ. જેમા ભાવિ સીએમ માટે આનંદીબેન પટેલના નામનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પહેલાથી જ આનંદીબેનનુ નામ આ દોડમાં સૌથી ઉપર ચાલી રહ્યુ હતુ. 
 
આ પહેલા ગુજરાત વિધાનસભામાં નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ. મોદી 26 મેના રોજ આગામી પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેશે. મોદીના નિકટના અમિત શાહ અને રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલ સહિત અન્ય વિધાયકોએ સત્રને સંબોધિત કર્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદીની આગેવાનીમાં બીજેપીને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મળી છે.