ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 16 એપ્રિલ 2008 (07:48 IST)

રાજકારણ અને મૂલ્યો વચ્ચે સંબંધ નહીં : મોદી

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે, નૈતિક મૂલ્યોનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. પોતાનાં પુસ્તક જ્યોતિપુંજમાં જનસંઘનાં રાજ્ય એકમનાં પ્રથમ મહાસચિવ વસંત ગજેન્દ્રગઢકર પર લખેલા અધ્યાયમાં મોદી લખે છે કે, જો આપણે સમસામયિક રાજકીય ગતિવિધિઓ અને નેતાઓનાં જીવન પર નજર નાખીએ તો આપણે સમજીએ છીએ કે રાજકારણમાં વસંતભાઈનો પ્રવેશ એક અકસ્માત હતો.

મોદીએ લખ્યુ છે કે, એવા સમયમાં જ્યારે રાજકારણમાં નૈતિક મૂલ્યો સાથે કોઈ સંબંધ નથી તે સ્થિતિમાં વસંતભાઈએ પોતાનાં સમગ્ર રાજકીય જીવનમાં નૈતિકતા જાળવી રાખી.