ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

રાજ્યના જળાશયો પાણી પાણી

રાજયમાં અને સ્ત્રાવ વિસ્તાર ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મધ્ય ગુજરાતમાં 3, ઉત્તર ગુજરાતમાં 9, અને કચ્છ-સૌરાષ્ટ્રમાં 21 મળીને કુલ 33 જળાશયો છલોછલ ભરાયા છે.

રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલી માહિતી મુજબ તારીખ 15/9/2008 ની સ્થિતિએ 49 જળાશયો 90થી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ, 7 જળાશયો 80-90 ટકા ભરાતા એલર્ટ અને 11 જળાશયો 70-80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. જોકે 126 જેટલા જળાશયોમાં હજુ 70 ટકા કરતા પણ ઓછો જળસંગ્રહ થયો છે.