ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

સુરતમાં પાંચ માળનું મકાન તૂટયુ, કોઈ જાનહાનિ નહી

W.D
સુરતનાં મહિધરપુરામાં પાંચ માળની ઇમારત તૂટી પડતાં ચકચાર મચી ગઇ છે. જોકે ફાયર બ્રિગેડે આજે સવારે આ ઇમારત ખાલી કરાવી દીધી હતી. સવારે જ આ બિલ્ડીંગમાં તિરાડ જોવાં મળતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતું ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને બધાને હેમખેમ બહાર કાઢ્યા હતાં. જોકે ત્યારબાદ આ પાંચ માળની ઇમારત તૂટી પડી છે. બધાને બહાર કાઢ્યા હોવાથી મોટી જાનહાની ટાળી શકાઇ છે.

આ ઇમારત તૂટી જતાં આસપાસની ઇમારતોને નુકસાન થયું છે. આ ઇમારતની આસપાસ ખોદકામ ચાલતું હતું. પાંચ માળનું મકાન તૂટી પડતાં આસપાસનાં રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે કારણકે આને કારણે આસપાસનાં વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ તિરાડ પડી છે ક્યાં તો નુકસાન થયું છે.