મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. સ્વતંત્રતા પર્વ
Written By વેબ દુનિયા|

ભારતનુ રાષ્ટ્રીયગીત

N.D
જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે.

આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું હતું.

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ,
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા,
જય હે... જય હે... જય હે...
જય જય જય જય હે!

અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.