શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

તીર્થકર નમિ

W.D
વેદકાલીન આદિતીર્થંકર ઋષભદેવની બાદ તીર્થંકર અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્‍પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્‍ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુન્‍થુ, અરહ, મલ્લિ અને મુનિસુવ્રતન અકોઈ ઠોસ ઐતિહાસિક પ્રમાણ નથી મળતાં. પરંતુ આંતિમ ચાર તીર્થંકરની ઐતિહાસિક સત્તાના પ્રમાણ ઉપલબ્‍ધ છે. અહીંયા પ્રસ્‍તુત છે 21મી અને 22મી તીર્થંકરનો પરિચય.

તીર્થંકર નમિ : 21મા તીર્થંકર નમિના વિશે ઉલ્લેખ છે કે તેઓ મિથિલાના રાજા હતાં. તેમને રાજા જનકના કા પૂર્વજ માનવામાં આવતાં હતાં. આનાથી તે સિદ્ધ થાય છે કે તે ભગવાન રામની પહેલાં થયાં હતાં. મહાભારતના શાંતિપર્વમાં કહેવામાં આવ્યું છે કે - મિથિલાયાં પ્રદીપ્તાયાં નમે કિજ્‍ચન દહય્‍તે..

ઉક્‍ત સૂત્રથી તે પ્રતીત થાય છે કે રાજા જનકની વંશ પરમ્‍પરાને વિદેહી અને અહિંસાત્‍મક પરમ્‍પરા કહેવામાં આવતી હતી. વિદેહી અર્થાત દેહથી નિર્મોહ કે જીવનમુક્‍ત ભાવ. નમિની આ પરમ્‍પરા મિથિલા રાજવંશમાં જનક સુધી મળી આવે છે. નમિ ક્ષત્રિય કુળથી હતાં. તેઓ થઈ ગયાં તેના વિશે હિંદૂ અને જૈન પુરાણોંમાં પ્રમાણ મળી આવે છે.