શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. જ્યોતિષ 2011
Written By વેબ દુનિયા|

લક્ષ્મી પ્રાપ્તિના સામાન્ય ઉપાય

N.D
આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ પોતાના ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ કરી શકે છે.

- જે ઘરમાં નિયમિત રૂપે અથવા દરેક શુક્રવારે શ્રીસુક્ત અથવા લક્ષ્મીસુક્તનો પાઠ હોય છે. ત્યાં સ્થાયી લક્ષ્મીનો વાસ હોય છે.

- અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાથી પોતુ લગાવાથી ઘરમાં શાંતિ રહે છે. ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ઘરમાં લડાઈ-ઝગડા પણ થતા નથી અને લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે.

- પ્રત્યેક અમાસના રોજ ઘરની સફાઈ કરવામાં આવે. ફાલતૂ સામાન વેચી દેવામાં આવે. ઘરના મંદિરમાં પાંચ અગરબત્તી લગાવો. આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય ધન પ્રાપ્તિનું છે. ઘણા લોકો એવા છે કે કોઈ અગમ્ય કારણોસર તેમની ધન પ્રાપ્તિમાં અવરોધ ઉભો થાય છે. આ ઉપાયો દ્વારા તમે નિયમિત રૂપે તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ કરી શકો છો.

- દરેક પૂનમે છાણાં સળગાવી કોઈ મંત્ર દ્વારા 108 વાર આહુતિ આપીને ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે.

- છાણાંને સળગાવીને તેની ઉપર લોબન મુકીને મહિનામાં બે વાર તેના ઘુમાડાને આખા ઘરમાં ફેરવો.

- જો આપ ગુરૂવારે પીપળમાં સાદુ પાણી ચઢાવીને ઘી નો દીવો સળગાવો અને શનિવારે ગોળ અને દૂધ મિશ્રિત જળ પીપળને ચઢાવીને સરસિયાના તેલનો દીવો સળગાવશો તો તમને ક્યારેય આર્થિક રૂપે પરેશાની નહી રહે.