ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (14:10 IST)

દાનના માધ્યમથી ગ્રહોને શાંત કરી શકો છો

તમારા જીવનમાં ગ્રહોની અશાંતિના કારણે આવતી સમસ્યાઓના સમાધાન ખૂબ સરળ ઉપાયો દ્વારા શક્ય છે. શાસ્ત્રોમાં વર્ણિત કેટલાક એવા મંત્ર જેના જપ તમારા જીવનમાં સુખદ સંપન્ન બનાવે છે. મંત્ર શાસ્ત્રમાં એ શક્તિ છે જે  અધરાથી અઘરા સમસ્યા ઉકેલી શકે છે. પણ એના લાભ ત્યારે જ થાય છે જ્યારે ના અણુષ્ઠાવનોને શુદ્ધ ઉચ્ચારણ અને પૂર્ણ વિધિ વિધાનથી કરાય. તમે દાનના માધ્યમથી ગ્રહોની શાંત કરી શકો છો. અહી અમે તમને કેટલાક સરળ ઉપાય જણાવી રહ્યા છે  ,જે  ખૂબ મદદ સિદ્ધ થાય છે એને કોઈ પણ વિદ્ધાન જ્યોતિષીની સહાયતાથી પૂરી કરી શકો છો. 
સૂર્ય ગ્રહની શાંતિ માટે - રવિવારે સ્નાન દાન અને સૂર્યને અર્ધ્ય આપી , કોઈ પણ લાલ વસ્તુ બ્રાહ્મણને દાન આપો. આથી સૂર્યની અનૂકૂળતા મળે છે.
ચંદ્રમા માટે- ચંદ્રમાની પ્રસન્નતા માટે પંચગવ્ય , ચાંદી મોતી શંખ સીપ અને કુમુદ ને જળમાં નાખી એનાથી સ્નાન કરવાથી ચંદ્ર્માના દુષ્પ્રભાવ દૂર થાય છે. 
 
મંગળ ગ્રહની શાંતિ માટે - લાલ વસ્ત્ર , મસૂરની દાળ લાલ, ચંદન ગોળ, ગાયના દૂધના ઘી ,કેસર, કસ્તૂરી, ઘઉં ,લાલ કનેરના ફૂલ કે કોઈ પણ લાલ ફૂલ, મૂંગા રત્ન પીળી કે લાલ રંગની ગાય આ બધું કઈક દાન કરવાથી મંગળના અસર શાંત થઈ જાય છે. 
 

 
બુધની શાંતિ માટે - લીલા વસ્ત્ર ગાયના દૂધના ઘી ,ખાંડ ,કપૂર, પીળા ફૂલ પાંચ પ્રકારના તાજા ફળ ,સોના, પન્ના ,કાંસ્ય અને ધનના રૂપમાં રૂપિયા આ બધું દાન કરવાથી બુધ સંબંધિત પીડા દૂર થાય છે. 
 
બૃહસ્પતિ માટે- પીળા વસ્ત્ર ,ખાંડ, રમકડા ,ચણાની દાળ, હળદર,  પીલા ફૂલ , મીઠું , યથાશક્તિ ધન,  સોનાના વાસણ,  પુખરાજ અને કાંસ્યના દાન કરવાથી બૃહસ્પતિની અશુભતાના અંત થાય છે. 
 
શુક્ર માટે- સફેદ માળા,  સફેદ ફૂલ , સુંગંધિત દ્ર્વ્ય,  હીરા , સોના , ચાંદી , દક્ષિણા રંગ બેરંગ વસ્ત્ર સફેદ ચંદન દૂધ દહી શાકરના દાણ શુક્ર્જનિત પીડા દૂર થાય છે. 
 
શનિની શાંતિ - સરસવના તેલ , કાળા વસ્ત્ર , આખા ઉડદ , કાળા ફૂલ  , નીલમ  , લોખંડ  , કસ્તૂરી અને પાંચ રૂપિયા. એના દાના કોઈ જોશીને કરીને શનિની પીડા દૂર થાય છે. 
 
રાહુ- સરસવના તેલ  , સરસવ  ,કાળા તલ , શીશા  , નીલા ફૂલ  , લોખંડના કોઈ શસ્ત્ર ધાબડા વગેરે વસ્તુઓ નીલા કપડામાં બાંધીને જોશીજીને દાન કરો.