મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2014 (12:14 IST)

નરેન્દ્ર મોદી સાથે અચૂક હોય છેઃ વઘારેલા મમરા, પાર્લે-જીનાં બિસ્કિટ અને લીંબુપાણી

નરેન્દ્ર મોદીના ઘરે આજે પણ દરરોજ રાતે ખીચડી બને જ છે

P.R
ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છેલ્લા છ મહિનાથી જબરદસ્ત ટ્રાવેલિંગ કરીને દેશભરમાં લોકસભાના ઇલેક્શનની જાહેર સભાઓ કરી રહ્યા છે. તેઓ બહારગામ જવા રવાના થાય છે ત્યારે તેમના કાફલામાં ત્રણ ચીજો અચૂક મૂકવામાં આવે છે : વઘારેલા મમરા, પાર્લે-જીનાં બિસ્કિટ અને લીંબુપાણી.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે મોદી બહારનું કંઈ જ ખાતા નથી. કોઈ ફંક્શનમાં પણ તેઓ જમતા નથી. જો તેમનો પ્રવાસ સવારથી સાંજનો હોય તો તેઓ રસ્તામાં સાથે લીધેલા મમરા, પાર્લે-જી બિસ્કિટ અને લીંબુ પાણીથી ચલાવે છે અને રાતે ગાંધીનગરના બંગલે આવીને જમે છે. નરેન્દ્ર મોદીએ પોતે એક વખત સ્વીકાર્યું હતું કે આ રીતે ભાથું સાથે લઈને જવાની આદત તેમને RSSમાંથી મળી છે. મોદી RSSમાં હતા ત્યારે તેઓ આ જ રીતે મમરા, પાર્લે-જી બિસ્કિટનું એક પૅકેટ અને લીંબુપાણી લઈને પ્રચાર માટે સવારે નીકળી જતા અને રાતે પાછા આવીને ખીચડી અને દહીં ખાતા. નવાઈની વાત એ છે કે દેશમાં સૌથી વધુ આશાસ્પદ વડા પ્રધાન તરીકે જેમને જોવામાં આવે છે એ નરેન્દ્ર મોદીના ઘરે આજે પણ દરરોજ રાતે ખીચડી બને જ છે.