નરેન્દ્ર મોદી વડનગરથી 7 આરસીઆર સુધી (જુઓ ફોટા)
જન્મદિવસ વિશેષ
નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો છે. તેમનું બાળપણ પણ ત્યાં જ વિત્યુ હતુ. વડનગર અમદાવાદથી 110 કિમીના અંતરે આવેલુ છે, તે 2500 વર્ષ પહેલા બંધાયેલુ ગામ છે. આ ગામનું ઐતિહાસિક મહત્વ પણ છે. વડનગર એક સમયે ગુજરાતનું પાટનગર રહી ચુક્યુ છે. અહીં પ્રસિદ્ધ કિર્તી તોરણ આવેલુ છે. તો અહીંની ગાયક બહેનો તાના-રીરીનું નામ પણ ઈતિહાસમાં અંકિત થયેલુ છે. નાગરોની આસ્થાનું કેન્દ્ર હાટકેશ મંદિર વડનગરમાં આવેલુ છે.
વડનગરની ગલીઓ, જ્યાં નરેન્દ્ર મોદી નાનપણમાં રમતો રમીને મોટા થયા.