1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. on being removed rajya sabha deputy leader raghav chadha said aam aadmi party trying to suppress my voice

રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા બોલ્યા રાઘવ ચડ્ઢા - આમ આદમી પાર્ટીએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે

raghav chadha
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી દૂર કર્યા છે. ચઢ્ઢાએ જણાવ્યું છે કે પાર્ટી તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ગૃહમાં સામાન્ય માણસનો અવાજ ઉઠાવતા હતા, અને આનાથી કોઈને કેવી રીતે તકલીફ થઈ શકે? સામાન્ય માણસને સંદેશ આપતા ચઢ્ઢાએ કહ્યું, "મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી." તેમણે AAPને પડકાર ફેંકતા કહ્યું, "મારા મૌનને હાર ન સમજો. હું એ દરિયો છુ જે પૂર લાવવા સક્ષમ છું." રાઘવનો આ પડકાર સીધો અરવિંદ કેજરીવાલ પર નિર્દેશિત છે, કારણ કે ચઢ્ઢાને ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય અરવિંદ કેજરીવાલનો હતો.
 
આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે રાઘવના સ્થાને સાંસદ અશોક મિત્તલને ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પક્ષના ક્વોટામાંથી ચઢ્ઢાને ફાળવવામાં આવેલો સમય અશોક મિત્તલને આપવો જોઈએ. તેમણે કહ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા હતી. તેમના પહેલા, એનડી ગુપ્તા પાર્ટીના ઉપનેતા હતા. રાઘવ ચઢ્ઢાએ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યસભામાં સામાન્ય લોકો સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા છે, જે સતત ચર્ચાનો વિષય રહ્યા છે.
 
રાઘવે વીડિયોમાં શું કહ્યું?
 
2  મિનિટ 18  સેકન્ડના વીડિયોમાં, રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા ગૃહમાં સામાન્ય લોકો સંબંધિત મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ શું આ ગુનો છે? આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને ચઢ્ઢાને બોલવાનો સમય ન આપવા વિનંતી કરી હતી. તેમણે મોબાઇલ ડેટા, મધ્યમ વર્ગ પરના કર, મોંઘા એરપોર્ટ ખોરાક અને ગૃહમાં ડિલિવરી બોયના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ બધા મુદ્દાઓને જાહેર સમર્થન મળ્યું હતું, અને જનતાની ઘણી સમસ્યાઓનું નિરાકરણ થયું હતું, પરંતુ આનાથી AAP ને શું નુકસાન થયું હોત? તેમણે કહ્યું જે લોકોએ તેમને ચૂપ કરાવી દીધા અને સદનમાં બોલવાનો અધિકાર છીનવી લીધો છે. તેમની સામે પડકાર છે.  આ સાથે જ રાઘવે શાયરાના અંદાજમાં પરત આવવાનુ વચન પણ આવ્યુ. 
ये भी पढ़ें
કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, મેવાણીના આરોપોએ વધારી મુશ્કેલી, સમગ્ર ગુજરાતમાં ચર્ચા