પીએમ મોદી આજે નમો ભારત અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, 12,930 કરોડ રૂપિયાની ભેટોનું અનાવરણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેરઠમાં 12,930કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12:30 વાગ્યે, તેઓ શતાબ્દી નગર સ્ટેશન પર દેશની પ્રથમ નમો ભારત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) અને મેરઠ મેટ્રોને લીલી ઝંડી આપશે અને તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી શતાબ્દી નગરથી મેરઠ સાઉથ સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે અને સમગ્ર દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.
આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી બપોરે લગભગ ૧ વાગ્યે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે અને મેરઠ માટે હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે. સરકારી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ્સના લોન્ચિંગથી પ્રદેશમાં પરિવહન વ્યવસ્થા આધુનિક બનશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે. આ મુલાકાતને પશ્ચિમ ઉત્તર પ્રદેશના માળખાગત સુવિધાઓ અને જોડાણમાં એક મુખ્ય સીમાચિહ્ન માનવામાં આવે છે.