સંબંધિત સમાચાર
- ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: હવે બે નહીં પણ એક જ શિફ્ટમાં મળશે વીજળી, ઊર્જામંત્રીની જાહેરાત
- GUJCET 2026: રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી
- રાજકોટના નવા IG નિર્લિપ્ત રાય એક્શનમાં: 29 વોન્ટેડ ગુનેગારોની યાદી જાહેર, વ્યાજખોરો સામે જનતા દરબારનું આયોજન
- વડોદરા રેલવે સ્ટેશન પર હાઈટેક સુવિધા: ગુજરાતનું પ્રથમ 'ડિજિટલ લોન્જ' શરૂ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવો અનુભવ
- ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક: અફવા ફેલાવનારાઓ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો
ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ખેડૂતો પાસેથી સીધી જ લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર બાજરી અને જુવાર પર MSP ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું વિશેષ બોનસ પણ ચૂકવશે, જેથી ખેડૂતોને બજાર કરતા વધુ પોષણક્ષમ ભાવ મળી રહે.
કયા પાક માટે કેટલો ભાવ (MSP) નક્કી કરાયો?
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ મુજબ, બાજરી માટે 2775 રૂપિયા, મકાઈ માટે 2400 રૂપિયા અને જુવાર (માલદંડી) માટે 3749 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. હાઇબ્રીડ જુવારનો ભાવ 3699 રૂપિયા રહેશે. આ ભાવમાં બાજરી અને જુવાર પર મળનારું 300 રૂપિયાનું વધારાનું બોનસ ખેડૂતો માટે મોટો આર્થિક લાભ સાબિત થશે.
નોંધણી અને ખરીદીની સમયમર્યાદા
ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. ખેડૂતો પોતાની સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે 1 થી 30 એપ્રિલ, 2026 દરમિયાન નોંધણી કરાવી શકશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સરકાર દ્વારા પાકની પ્રત્યક્ષ ખરીદી 1 મે થી 15 જુલાઈ, 2026 સુધી કરવામાં આવશે. ખાસ નોંધવું કે નોંધણી વખતે ખેડૂતનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (ફિંગરપ્રિન્ટ) જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો અને નોંધણીની પ્રક્રિયા
નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, જમીનના લેટેસ્ટ 7/12 અને 8-A ના ઉતારા, તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે રાખવાનો રહેશે. જો જમીનના ઉતારામાં પાક વાવણીની એન્ટ્રી ન હોય, તો તલાટીનો સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો રજૂ કરવો પડશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર ખેડૂતોની નોંધણી રદ થઈ શકે છે, તેથી સાચી વિગતો આપવી અનિવાર્ય છે.
એસએમએસ દ્વારા જાણ અને હેલ્પલાઈન સુવિધા
સફળ નોંધણી પછી, જ્યારે ખેડૂતનો પાક વેચવાનો વારો આવશે ત્યારે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે. પાક વેચવા જતી વખતે મૂળ ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે. જો ખેડૂતોને કોઈ પણ મૂંઝવણ હોય, તો તેઓ સરકારના હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
