ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ઑગસ્ટ 2022 (14:45 IST)

AAPની જાહેરાત:વડોદરામાં 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ, આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું

દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ લોકોએ ખરીદેલા તિરંગાઓને પરત લઈને રિફંડ આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની જાહેરાત પ્રમાણે 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ, આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું.
 
વડોદરા શહેરમાં જે લોકોએ પૈસા ખર્ચીને તિરંગા લીધા છે અને તેને ફરકાવ્યા બાદ તેઓ સાચવી ન શકે તો 16 ઓગસ્ટે તેને અમે પરત લઇશું અને તેની સામે રિફંડ પણ આપીશું. હાલ આ અભિયાન વડોદરા શહેર પુરતું છે.