સંબંધિત સમાચાર
- સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: ઈંધણ પુરવઠો, કર્મચારીઓની રજૂઆત અને 'વર્ક ફ્રોમ હોમ' પર થશે મોટી ચર્ચા
- ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઈંધણ બચાવવા સરકારી કર્મચારીઓના પ્રવાસ પર કડક નિયંત્રણો
- ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો, લોકોને સાચી માહિતી આપવા અપીલ
- CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: સરકારી વિભાગોમાં 'વર્ક ફ્રોમ હોમ' અને ઓનલાઈન મિટિંગો કરવા આદેશ
- આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં દેશભક્તિનો માહોલ: ગૃહમંત્રી અમિત શાહે કર્યું ‘ભારત માતા’ની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ
Ahmedabad Bharat Mata Sculpture
અમદાવાદ શહેરના નવા વાડજ સર્કલ ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બનેલું ભવ્ય ભારત માતા સ્કલ્પચર હવે શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજિત 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ વિશાળ અને નયનરમ્ય પ્રતિમાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ભારત માતાના સ્કલ્પચરને નમન કરી ઉપસ્થિત જનમેદનીને દેશભક્તિનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
બ્રોન્ઝમાંથી બનેલી પ્રતિમાની ભવ્યતા અને વિશેષતાઓ
નવા વાડજ સર્કલ પાસે સ્થાપિત આ વિશિષ્ટ સ્કલ્પચર સંપૂર્ણપણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રોન્ઝ મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 15 થી 18 ફૂટની ભવ્ય ઊંચાઈ ધરાવતું આ સ્કલ્પચર અમદાવાદ શહેરની સૌથી મોટી ભારત માતાની પ્રતિમા હોવાનું ગૌરવ ધરાવે છે. આ વિશાળ કલાકૃતિનું કુલ વજન અંદાજે 3500 થી 5000 કિલોગ્રામ જેટલું છે, જેને કુશળ કારીગરો દ્વારા આશરે છ મહિનાની રાત-દિવસની સખત મહેનત બાદ આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
शहर के सौंदर्यीकरण एवं सांस्कृतिक पहचान को नई दिशा देने के प्रयासों को आगे बढ़ाते हुए आज अहमदाबाद के भीमजीपुरा में AMC द्वारा नव-निर्मित भारत माता स्क्वायर का लोकार्पण किया।
— Amit Shah (@AmitShah) May 28, 2026
'ભારત માતા સ્ક્વેર' રાષ્ટ્રભક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને આધુનિક શહેરી વિકાસનું સુંદર પ્રતીક છે. pic.twitter.com/nmfiCawyhq
લોકાર્પણ પ્રસંગે ઉમટેલો દેશભક્તિનો અનોખો માહોલ
આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વાડજ સર્કલ આસપાસનું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અનાવરણ થતાંની સાથે જ ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદની દ્વારા “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. આ દિવ્ય પ્રતિમા રાત્રિના સમયે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ત્યાં ખાસ લાઈટિંગ અને સુશોભનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ
આ ગરિમાપૂર્ણ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સાંસદો, ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોએ હાજર રહીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
