1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Cylinders will reach every home, Chief Minister took a big decision, PNG gas connection to traders immediately

ગેસ સંકટ સામે સરકારનુ કવચ: દરેક ઘરમાં પહોંચશે સિલિન્ડર, મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, વેપારીઓને તત્કાલ PNG ગેસ કનેક્શન

gujarat cabinet meeting
gujarat cabinet meeting
રાજ્યના દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં LPG સિલિન્ડર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગેસ સપ્લાયની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગેસની કોઈ અછત ન સર્જાય તે હેતુથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંકલન સાધીને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવી રહી છે.
 

આવશ્યક સેવાઓને પ્રાથમિકતા અને સપ્લાય ચેઈન પર ભાર
 

સરકારે ગેસ સપ્લાય વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોનું વર્ગીકરણ કર્યું છે. જેમાં CNG જેવા અતિ આવશ્યક ક્ષેત્રોને 'પ્રાથમિકતા-1' ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જેથી વાહનવ્યવહાર અને જરૂરી સેવાઓમાં ગેસ પુરવઠાને કારણે કોઈ વિક્ષેપ ન પડે. આ વ્યૂહાત્મક આયોજનને લીધે સામાન્ય જનજીવન પર આંતરરાષ્ટ્રીય કટોકટીની અસર ઓછી પડે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક અને મહત્વના નિર્ણયો
 

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓએ ખાતરી આપી હતી કે રાજ્યમાં ઘરેલું વપરાશ માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે કે PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારિક સંસ્થાઓને તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન આપવામાં આવશે. આ નિર્ણયથી વ્યવસાયિક એકમોને મોટી રાહત મળશે અને સિલિન્ડર પરનું ભારણ ઘટશે.
 

વહીવટી તંત્રને કડક સૂચના અને જનતાને આશ્વાસન
 

મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ગેસ સપ્લાયમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ અને કામગીરીમાં અસરકારકતા જળવાવી જોઈએ. સરકાર દરેક ઘરમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે પ્રયત્નશીલ છે. આ આયોજનબદ્ધ પગલાંઓને કારણે રાજ્યમાં ગેસ વિતરણ વધુ સુવ્યવસ્થિત બનશે અને અછત જેવી સ્થિતિને ટાળી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ये भी पढ़ें
ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: સિંચાઈ માટે કેનાલોમાં એપ્રિલના અંત સુધી પાણી રહેશે ચાલુ