સંબંધિત સમાચાર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના આકરા નિયમો, ૩ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને 'નો ટિકિટ'
- Char Dham Yatra 2026 - ચાર ધામ યાત્રા માટે ઉચ્ચ તકનીકી સુરક્ષા, 1,600 સીસીટીવી કેમેરા દરેક ગતિવિધિ પર નજર રાખશે.
- રાજ્યસભા ચૂંટણી માટે હર્ષ સંઘવીની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂક
- સુરતને 920 કરોડના વિકાસ કામોની ભેટ: સી. આર. પાટીલના હસ્તે 'ડુમસ સી-ફેસ' ફેઝ-1નું લોકાર્પણ
- અર્નિંગ વેલ - લિવિંગ વેલ: દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા મુખ્યમંત્રીનો માસ્ટર પ્લાન
શ્રમિકોને ભોજનમાં નહીં પડે કોઈ મુશ્કેલી: ગેસ સપ્લાય અંગે સરકારની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર, મંત્રી કુંવરજી બાવળિયાની ખાતરી
shramik annapurna yojana center
ગાંધીનગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ચાલતા સેન્ટરોની મુલાકાત દરમિયાન, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ગેસની અછત અંગે ચાલી રહેલી ચિંતાઓને દૂર કરી છે. તેમણે સ્પષ્ટતા કરતા એક મોટું નિવેદન આપ્યું હતું કે આ યોજના હેઠળ ચાલતા કોઈપણ સેન્ટર પર ગેસની અછત ઉભી થવા દેવામાં નહીં આવે, અને શ્રમિકોને મળતી ભોજન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે.
મંત્રીએ ખાતરી આપી છે કે તમામ સેન્ટરો પર LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, જો કોઈ અણધારી પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાયમાં વિક્ષેપ પડે, તો તેના માટે અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરશે કે શ્રમિકોને મળતું ભોજન કોઈપણ સંજોગોમાં અટકશે નહીં અને યોજના સતત ચાલુ રહેશે.
આ યોજનાનું સંચાલન સુચારૂ રૂપે થાય તે માટે સરકાર સતત કાર્યરત છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે યોજનાનો અમલ કરતી તમામ એજન્સીઓ સાથે સરકાર સીધા અને સતત સંપર્કમાં છે. દરેક સેન્ટરની કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે નિયમિતપણે દેખરેખ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પૂરતું અને સમયસર ભોજન મળે તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. આ ઉપરાંત, મંત્રીએ એક મહત્ત્વની વાત કરતા એમ પણ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગમાં કામ કરતા કામદારોના હિત માટે પણ વિચારણા ચાલી રહી છે. તેઓને પણ યોગ્ય સુવિધાઓ અને સરકારી સહાય મળી શકે તે હેતુથી આગામી સમયમાં રાજ્ય સરકાર સમક્ષ વિશેષ રજૂઆત કરવામાં આવશે.
