શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 ડિસેમ્બર 2025 (14:17 IST)

Ram Sutar: સ્ટેચ્યુ ઓફ યૂનિટીના શિલ્પકાર રામ સુતારનુ નિધન, 100 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ram sutar
જાણીતા મૂર્તિકાર અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનુ બુધવારે મોડી રાત્રે નોએડા સ્થિત તેમના રહેઠાણ પર નિધન થઈ ગયુ. તેમના પુત્ર અનિલ સુતારે આ માહિતી આપી. તેઓ 100 વર્ષના હતા અને લાંબા સમયથી વય સાથે જોડાયેલી બીમારીઓથી પીડિત હતા.  
 
અનિલ સુતારે ગુરૂવારે પ્રેસને રજુ એક નિવેદનમાં કહ્યુ કે ઊંડા દુખ સાથે અમે તમને સૂચિત કરીએ છીએ કે મારા પિતા શ્રી રામ વનજી સુતારનુ 17 ડિસેમ્બરના રોજ અડધીરાત્રે અમારા નિવાસ પર નિધન થઈ ગયુ. 
 
19  ફેબ્રુઆરી, 1925  ના રોજ મહારાષ્ટ્રના હાલના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા રામ સુતાર બાળપણથી જ શિલ્પકળા તરફ આકર્ષાયા હતા. તેમણે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો હતો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે એક લાંબી અને નોંધપાત્ર સર્જનાત્મક યાત્રા શરૂ કરી જે ભારતીય શિલ્પકળાને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ.
 
તેમની પ્રખ્યાત પ્રતિમાઓ
ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને સંસદ સંકુલમાં સ્થાપિત ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા તેમના મુખ્ય કાર્યોમાં શામેલ છે. દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તેમને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી.
 
રામ સુતારને તેમના યોગદાન માટે પદ્મશ્રી (1999) અને પદ્મ ભૂષણ (2016) એનાયત કરવામાં આવ્યા હતા. તેમને તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના સર્વોચ્ચ સન્માન મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રામ સુતારનું અવસાન ભારતીય કલા અને સાંસ્કૃતિક જગત માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમના કાર્યો અને વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.