સંબંધિત સમાચાર
- LPG સંકટ વચ્ચે ગુજરાતનો માસ્ટરસ્ટ્રોક: બનાસ ડેરીના પ્લાન્ટમાં રોજ બને છે 1800 KG બાયોગેસ; 15 રાજ્યો અપનાવશે આ મોડેલ
- કોણ છે ઈમરાન ખેડાવાલા ? જેમણે ગુજરાત સરકારના કર્યા વખાણ, BJP એ વિડીયો પોસ્ટ કરીને બનાવ્યો માહોલ
- 10,000 ના ATM વિડ્રોલમાં થઈ ગડબડી, 9 વર્ષ પછી વ્યક્તિને મળ્યા ૩.28 લાખ રૂપિયા, સુરતનો મામલો
- અવકાશ ક્ષેત્રે ગુજરાતનો ડંકો : ધોલેરાથી રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ
- કચ્છના 'Road to Heaven' નો થશે કાયાકલ્પ: નીતિન ગડકરીએ રૂ. 650 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી
સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની સમસ્યાને નાથવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નવતર સૂચન કર્યું છે. સરહદના એવા વિસ્તારો જ્યાં નદીઓ અને કળણ હોવાને કારણે તારની વાડ બનાવવી મુશ્કેલ છે, ત્યાં કુદરતી અવરોધ તરીકે મગર અને ઝેરી સાપનો ઉપયોગ કરી શકાય કે કેમ તે અંગે BSF (સીમા સુરક્ષા બળ) દ્વારા વિશેષ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના જો સફળ રહેશે, તો સરહદ સુરક્ષામાં પ્રાણીઓનું યોગદાન એક મહત્વનો વળાંક સાબિત થશે.
Vadodara won't mind providing healthy crocodiles to the Indian army.
— My Vadodara (@MyVadodara) April 5, 2026
Anything for India, Nation First https://t.co/w1AVnzFehc
સરહદની ભૌગોલિક સ્થિતિ અને કુદરતી અવરોધની જરૂરિયાત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આશરે 175 કિમીનો સરહદી વિસ્તાર નદીઓ અને કળણવાળો છે, જેમાં ઇચ્છામતી, રાયમંગલ અને હરિભંગા જેવી નદીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વારંવાર આવતા પૂર અને ભૌગોલિક વિષમતાઓને કારણે કાયમી વાડ બાંધવી ટેકનિકલ રીતે પડકારજનક છે. આથી, આ જળપ્લાવિત વિસ્તારોમાં મગર જેવા હિંસક સરીસૃપોને મુક્ત કરવાથી ઘૂસણખોરોમાં ડર પેદા થશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાશે.
સોશિયલ મીડિયા પર ગુજરાત અને બંગાળ વચ્ચે રોચક ચર્ચા
આ પ્રસ્તાવ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. વડોદરાના યુઝર્સ ગર્વથી કહી રહ્યા છે કે 'સંસ્કારી નગરી' ના મગરો દેશની રક્ષા માટે હંમેશા તૈયાર છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના યુઝર્સે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સુંદરવન પહેલેથી જ દુનિયાના સૌથી મોટા સરીસૃપોનું ઘર છે, તેથી તેમને ગુજરાતથી મગર મંગાવવાની જરૂર નથી. આ પ્રાકૃતિક ઇકોલોજીકલ ક્લીનર્સ ઘૂસણખોરી રોકવા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
વડોદરા: મગરોની નગરી તરીકેની વૈશ્વિક ઓળખ
ગુજરાતનું વડોદરા શહેર તેના મગરો માટે વિશ્વભરમાં જાણીતું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું કુદરતી આશ્રયસ્થાન છે. અગાઉ પૂર દરમિયાન મગરો રહેણાંક વિસ્તારોમાં અને ઘરની છત પર પણ જોવા મળ્યા હોવાની ઘટનાઓ બની છે. પાવાગઢથી નીકળીને ખંભાતના અખાતને મળતી આ નદીમાં મગરોની સંખ્યા અને તેમનું સંવર્ધન કુદરતી રીતે જ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે.
વડોદરામાં મગરોની લેટેસ્ટ વસ્તી ગણતરીના આંકડા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુ (IAS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરી 2026 માં કરવામાં આવેલી લેટેસ્ટ વસ્તી ગણતરી અનુસાર વડોદરામાં મગરોની કુલ સંખ્યા 417 નોંધાઈ છે. આ આંકડો દર્શાવે છે કે શહેરી વિસ્તાર હોવા છતાં અહીં મગરો સુરક્ષિત રીતે રહી રહ્યા છે. BSF ના સ્ટડી રિપોર્ટ બાદ જો મગરોને સરહદ પર મોકલવાનો નિર્ણય લેવાશે, તો વડોદરાના મગરોની ભૂમિકા મહત્વની બની શકે છે.

