સંબંધિત સમાચાર
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી દરબારમાં, મોટા ફેરફારોના એંધાણ?
- ડેડિયાપાડામાં હર્ષ સંઘવીની ગર્જના: ચૈતર વસાવાના ગઢમાં ભાજપનું શક્તિપ્રદર્શન
- એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નહી, ત્યા થયા સેંકડો લગ્ન, હર્ષ સંઘવી બોલ્યા - સલીમને સુરેશ બનીને નહી કરવા દઈએ લગ્ન
- વિધાનસભા સત્ર માટે ભાજપની રણનીતિ તૈયાર; તમામ ધારાસભ્યોને હાજર રહેવા 'સિંગલ લાઈન વ્હિપ'
- ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો
‘આ ઇમારત નહીં, સપનાઓ સાકાર કરવાનું મંદિર’ — ઉમરામાં અદ્યતન શાળા ભવનનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
સુરતના ઉમરા વિસ્તારમાં રૂ. 3.40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આધુનિક સુવિધાઓથી સજ્જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક–3નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન 45 વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરાયું.
ઉમરામાં નવી શાળાનું ભવ્ય લોકાર્પણ
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્મિત શાળા નં. 3નું ભવ્ય ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે સમગ્ર શાળા સંકુલનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય વાતચીત કરી શિક્ષણ અંગે ઉત્સાહ વધાર્યો.
અદ્યતન સુવિધાઓથી સજ્જ ત્રણ માળનું ભવન
નવી શાળા ઇમારત અંદાજે રૂ. 3.40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ત્રણ માળના આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ બોર્ડ, આધુનિક ડિઝાઇનવાળી આરામદાયક બેંચીસ અને હાઈ-ટેક ક્લાસરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લોકાર્પણ બાદ DyCM હર્ષ સંઘવીએ દરેક વર્ગખંડની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે જરૂરી સૂચનો આપ્યા.
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ
કાર્યક્રમ દરમિયાન DyCMના હસ્તે 45 વિદ્યાર્થીઓને નવી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં લગભગ 228 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી શાળાએ આવી શકે.
આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ
લોકાર્પણ બાદ DyCM હર્ષ સંઘવી ક્લાસરૂમમાં જઈ વિદ્યાર્થીઓ સાથે બેઠા અને અભ્યાસ તેમજ રમતગમત વિશે હળવી અને રમૂજભરી ચર્ચા કરી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું.તેમણે જણાવ્યું કે, “આ માત્ર શાળાની ઇમારત નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના સપનાઓ સાકાર થવાનું મંદિર છે. અમે એવી સ્કૂલ બનાવી છે કે જ્યાં ભણતા વિદ્યાર્થીઓને ગૌરવની લાગણી થાય.”
સરકારી શાળાઓ પ્રત્યે વધતો વિશ્વાસ
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં આશરે 50,000 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ્યા છે, જે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા સુધારાનો પ્રતિબિંબ છે.
તેમણે વધુમાં કહ્યું કે Surat એવું શહેર છે જ્યાં વિવિધ ભાષાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ છે. અંતમાં તેમણે વાલીઓને અપીલ કરી કે બાળકોને માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતું ન રાખીને તેમને કુદરત અને માટી સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે.
div>लाइव: उमरा, सूरत में नगर प्राथमिक स्कूल नंबर 3 का उद्घाटन
— हर्ष सांघवी (@sanghaviharsh) मार्च 13, 2026
https://t.co/WkjpLRWvXW
