26 જાન્યુઆરી : આજે પણ કંપાવી નાખે છે 26 તારીખ
26
જાન્યુઆરી. આપણો રાષ્ટ્રીય તહેવાર. એકદમ શુભ દિવસ. તે દિવસ જ્યારે આપણો સંવિધાન લાગૂ થયો હતો. લોકશાહી મતલબ લોકો માટે. લોકો દ્વારા શાસન, જેને સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યુ હતુ. આ દિવસની શુભતા પર પ્રશ્ન ચિન્હ કેવી રીતે લગાડી શકાય. છતા પણ ખબર નહી કેમ વારેઘડીએ યાદ આવે છે દેશને સંકટમાં નાખનારી 26મી તારીખો. આ તારીખો જે ભયાનક છે. જે દિલને દહેલાવી નાખે છે. એ 26મી તારીખ જેમા ચીસ અને ચિત્કાર ગૂંજી રહી છે. એ 26 તારીખ, જેમાથી કંપન અને રુદન ઉભો થઈને આવી રહ્ય છે. તેને જ્યોતિષની દ્રષ્ટિએ કુયોગ કેવી રીતે કહે ? આ જ દિવસે દેશનો ગણતંત્ર દિવસ આવે છે. એક પવિત્ર દિવસ પરંતુ શુ એ પણ સત્ય નથી કે આ એક તારીખ ઉપરાંત આપણા દેશે 26 તારીખની અશુભતાને પણ સહન કરી છે. અંક શસ્ત્ર આ દિવસાને અશુભ માને છે. આ દાનવી શક્તિઓને સફળતા અપાવનારી તારીખ કહેવાય છે. એવુ માનવામાં આવે છે કે 23નો અંક ભારતીય પરિપ્રેક્ષ્ય માં શુભ છે તો બીજી બાજુ 26 અંક તેનાથી ઉલટુ પરિણામ આપે છે. જોવામા 23 એકબાજુ ૐ નો આભાસ કરાવે ક હ્હે તો બીજી બાજુ 26 અશુભ ચિન્હ બને છે. જે ભારતના મૂલાંકના વિરુદ્ધ હોવાથી વારે ઘડીએ સંકટ લાવે છે. આપણે આ સત્યને ઈચ્છવા છતા ટાળી નથી શકતા.
યાદ કરો 26 જાન્યુઆરી 2001ની એ સવાર. જ્યારે આખો દેશ ગણતંત્ર દિવસની સોનેરી સવાર ત્રિરંગો લહેરાવવાની તૈયારી કરી રહ્યુ હતુ. અને કાંપી ઉઠી ધરતી, કાંપી ઉઠ્યા હતા એ હાથ જે અર્ધ્ય ચઢાવી રહ્યા હતા ગણતંત્રના સૂર્યને. જોતા જ જોતા ગુજરાતના વિનાશકારી ભૂકંપના હજારોની સંખ્યામાં જનતાની બલિ લઈ લીધી. કેટલાય માસૂમ હોશ આવતા પહેલા, પોતાના વાંક વગર જ ધરતીના ગોદમાં સમાય ગયા.. આ દિવસની ભયાનક યાદ આજે પણ પણ ડરાવી દે છે.