ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : બુધવાર, 28 ડિસેમ્બર 2016 (15:47 IST)

જો પૂજાના સમયે કરો છો આ 4 ભૂલ તો નવા વર્ષમાં પણ રહેશે ગરીબી

આશરે બધા ઘરોમાં રોજ ભગવાનની પૂજા કરાય છે. આથી લોકો આસ્થા અને વિશ્વાસ સાથે ભગવાનને સજાવા-શણગારવાનું કામ કરે છે , તેમના માટે મિઠાઈ , નવા વસ્ત્ર વગેરે લાવે છે. પણ અજાણમાં પૂજાના સમયે કેટલીક એવી નાની-નાની ભૂલ કરી જાય છે , જેના કારણે ભગવાન તેમનાથી નારાજ થઈ જાય છે. જેના 
કારણે તેમના ઘરમાં ગરીબી અને પરેશાનીનો વાસ હોય છે. આ 4 ભૂલને ધ્યાન દરેક કોઈને પૂજાના સમયે રાખવું જોઈએ. 
તુલસીની સૂકી પાંદળીઓ 
ભગવાન કૃષ્ણ અને વિષ્ણુને પ્રસાદના સાથે તુલસી દળ ચઢાવવાના ખૂબ મહત્વ હોય છે. ઘણા લોકો એક સાથે ઘણા તુલસી તોડીને મંદિરમાં મૂકી નાખે છે અને તેને સૂક્યા પછી ઘણા દિવસો સુધી તે ભગવાનને ચઢાવે છે. આવું કરવું પણ અશુભ હોય છે.  

તૂટેલું દીપક 
પૂજાના સમયે દીપકને પણ ઉપયોગ કરાય છે. જો દીપક તૂટેલૂં કે ખંડિત હોય તો તેનો ઉપયોગ કરવું બંદ કરી નાખવું જોઈએ. આવું કરવા પણ ગરીબી અને અશુભ ફળનો કારણ બની શકે છે. 
 

સૂકા હાર કે ફૂલ 
હમેશા લોકો ભગવાન પર ફૂલોની માલા ચઢાવીને ભૂલી જાય છે. જેના કારણે ફૂલ અને હાર સૂકી જાય છે. સૂકા હાર કે ફૂલ ઘરમાં રાખવું અશુભ ગણાય છે. .તેથી પૂજા પછી સાંજ થતા પહેલા જ ફૂલોને મંદિરથી હટાવી નાખવી જોઈએ. 

તૂટેલી મૂર્તિ 
ઘરમાં કે પછી  મંદિરમાં કોઈ પણ રીતની તૂટેલી મૂએરિઓ નહી રાખવી જોઈ. જો તમારા ઘરમાં માટી કે ધાતુની કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને તરત કોઈ નદીમાં વિસર્જિત કરી નાખવી કે પછી કોઈ પીપળના ઝાડ નીચે રાખી દો.