શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

શ્રીકૃષ્ણના શીઘ્ર ચમત્કારી ધન પ્રાપ્તિ મંત્ર

અહી અમે શ્રીકૃષ્ણના વિવિધ મંત્ર આપ્યા છે, આ મંત્રોના જાપથી ધન સંપત્તિ-સુખ-સૌભાગ્ય-સૌદર્યની પ્રાપ્તિ થાય છે. શભ્ર પ્રભાવ વધારવા તેમજ સુખ પ્રદાન કરવામં આ મંત્ર એકદમ પ્રભાવી માનવામાં આવે છે. પાઠકોની સુવિદ્યા માટે અમે મંત સંબંધિત માહિતી પણ અહી આપી રહ્યા છે.

શ્રીકૃષ્ણનો મુળમંત્ર : અટવાયેલુ ધન પ્રાપ્ત કરાવે છે

કૃ કૃષ્ણાય નમ:

આ શ્રીકૃષ્ણનો મૂળમંત્ર છે. આ મૂળમંત્રન્મો જાપ પોતાનું સુખ ઈચ્છનારા દરેક મનુષ્યએ પરોઢિયે નિત્યક્રિયા અને સ્નાનઆદિથી પરવારીને એક સો આઠ વાર કરવુ જોઈએ. આવુ કરનારા મનુષ્ય બધી બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી ક્યાય પણ અટવાયેલુ ધન તરત મળી રહે છે.

 

 

આગળના પેજ પર કરોડપતિ બનાવનારો અચૂક મંત્ર


સપ્તદક્ષાંતર શ્રીકૃષ્ણમહામંત્ર : આ મંત્ર કરોડપતિ બનાવે છે.

P.R
'ૐ શ્રી નમ; શ્રીકૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા'

આ શ્રીકૃષ્ણનો સપ્તદક્ષાંતર મહામંત્ર છે. આ મંત્રના પાંચ લાખ જાપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જપના સમયે હવનના દશાંશા અભિષેકનુ દક્ષાંક્ષ તર્પણ અને તર્પણનું દશાંશ માર્જન કરવાનુ વિધાન શાસ્ત્રોમાં વર્ણવેલુ છે. જે વ્યક્તિને આ મંત્ર સિદ્ધ થઈ જાય છે તેને કરોડપતિ બનતા કોઈ નથી રોકી શકતુ.

આગળના પેજ પર વાંચો ધન માટે દિવસભર જપવાનો સહેલો મંત્ર


સાત અક્ષરોવાળા શ્રીકૃષ્ણ મંત્ર : ધન માટે આ મંત્ર આખો દિવસ જપો

P.R
ગોવલ્લભાય સ્વાહા

આ સાત(7) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્રનો જપ જે સાધક કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સાથે જ ધનની કામના કરનારા વ્યક્તિને આ મંત્રનો વારંવાર જાપ કરવો જોઈએ, સવા લાખ મંત્રોનો જાપ થતા જ આર્થિક સ્થિતિમાં આશ્ચર્યજનક રૂપથી સુધાર થવા લાગશે.

આગળના પેજ પર વાંચો ઈચ્છા પૂરી કરનારો કૃષ્ણ મંત્ર



P.R
દ્રાદશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર : પ્રેમ વિવાહ કરાવે છે આ મંત્ર

'ૐ નમો ભગવતે શ્રીગોવિન્દાય'

આ કૃષ્ણ દ્રાદશાક્ષર(12)મંત્રનો જે પણ સાધક જપ કરે છે, તેને બધુ જ મળી જાય છે. આ મંત્ર પ્રેમ લગ્ન કરાવવામાં ચમત્કારી સાબિત થાય છે.

આગળના પેજ પર વાંચો વાણીનુ વરદાન આપતો શ્રીકૃષ્ણ મંત્ર



22 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર : વાણીનું વરદાન આપે છે.

'એં ક્લીં કૃષ્ણાય હ્વીં ગોવિંદાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હ્વૂસો'

P.R
આ બાવીસ(22) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને વાણીશત્વ(વાણીનું વરદાન)પ્રાપ્ત થાય છે.

આગળના પેજ પર વાંચો ધનના રસ્તામાં આવનારા અવરોધ દૂર કરવાનો મંત્ર



P.R
23 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર : દરેક બાધા દૂર કરે છે.

'ૐ શ્રીં હ્વીં ક્લીં શ્રીકૃશ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય શ્રીં શ્રીં શ્રીં'

આ તેવી(23) અક્ષરોવાળો શ્રી કૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને ધનની પ્રાપ્તિની બધી મુશ્કેલીઓ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. પૈસો ખુદ ચાલીને આવવા માંડે છે.

આગળના પેજ પર વાંચો વાંછિત ફળ પ્રાપ્તિ માટે મંત્ર



28 અક્ષરોવાળા શ્રીકૃષ્ણ મંત્ર : વાંછ્તિ ફળ પ્રાપ્તિ માટે
P.R

ૐ નમો ભગવતે નન્દપુત્રાય આનન્દવપુષે ગોપીજનવલ્લભાય સ્વાહા

આ અઠ્ઠાવીસ(28) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને બધી અભિષ્ટ વાંછિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.