શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

શું તમે જાણો છો બંગડીઓ પહેરવાથી મહિલાઓને શું-શું ફાયદા હોય છે

કોઈ પણ મહિલાનો શ્રૃંગાર બંગડીઓના વગર પૂર્ણ નહી થઈ શકતો. આ કારણે તેને પણ શ્રૃંગારના અભિન્ન અંગ ગણાય છે. 
વધારેપણુ મહિલાઓ બંગડી કે કંગન જરૂર પહેરે છે. ખાસ કરીને આ સંબંધમાં આ માન્યતા છે કે બંગડી સુહાગની નિશાની છે અને તેથી પહેરાય છે. જ્યારે આ પરંપરાના પાછળ કેટલાક કારણ પણ છે. બંગડી પહેરવાથી મહિલાઓને ઘણા લાભ પણ હોય છે. અહીં જાણો બંગડી પહેરવાથી મહિલાઓને કયાં-કયાં લાભ મળે છે. 
 
શારીરિક રૂપથી મહિલા પુરૂષો કરતાં વધારે કોમળ હોય છે. મહિલાઓના શરીરના હાડકાઓ પણ ખૂબ કોમળ હોય છે. બંગડી પેહરવાના પાછળ મહિલાઓને શારીરિક રૂપથી શક્તિ આપવાના મુખ્ય ઉદ્દેશ્ય છે. જૂના સમયમાં મહિલાઓ સોના કે ચાંદીની બંગડી પહેરતી હતી. સોના-ચાંદી સતત શરીરના સંપર્કમાં રહેવાથી આ 
ધાતુઓના ગુણ શરીરને મળતા રહે છે. 
 
આયુર્વેદ મુજબ સોના-ચાંદીની રાખ શરીરને બળ આપે છે. સોના-ચાંદીના ઘર્ષણથી શરીરને તેના શક્તિશાળી તત્વ મળે છે. જેનાથી મહિલાઓને સ્વાસ્થય લાભ મળે છે. અને એ વધારે ઉમ્ર સુધી સ્વસ્થ રહી શકે છે. 
 
એક બીજા માન્ય મુજબ મહિલાઓ જ્યારે ઘરકામ કરે છે તો બંગડીઓની આવાજથી ઘરની નકારાત્મક ઉર્જા બેઅસર થઈ જાય છે. સકારાત્મકતા વધે છે.ધાર્મિક માન્યતા આ જ છે કે પરિણીત મહિલાઓ બંગડી પહેરે છે, તેના પતિની ઉમ્ર લાંબી હોય છે. આ કારણે પરિણીત મહિલા માટે બંગડી પહેરું ફરજિયાત છે.