ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

તહેવાર અને વાસ્તુ -1

W.D
ઘરની સફાઈ
દિવાળી પર શ્રી ગણેશજી, લક્ષ્મીજી તેમજ ધન કુબેરને પૂજન દ્વારા પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેથી બધા લોકો દિવાળી પહેલા જ ઘરમાં સાફ સફાઈ, ઘર ધોવું, રંગ રોગાણ વગેરેની શરૂઆત કરી દે છે જેના લીધે ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય અને ઘરમાં ખુશીઓની લહેર પ્રસરી જાય. તેથી મકાનમાં સીડીઓની ઉપર, માળિયાઓ પર અને ધાબા પર જે તુટેલો સામાન પડ્યો હોય તેને કાઢીને ફેંકવામાં આપણી ભલાઈ છે.

પૂજાનું સ્થ
ઘરના બધા જ સભ્યો સાથે બેસીને દિવાળીની પૂજા કરે છે. આવામાં આપણે પુર્વ નિર્ધારિત પૂજા સ્થળની સામે તેમજ આસપાસની જગ્યામાં બેસીને પૂજા કરીએ છીએ અને લોબીમાં ખુલ્લી જગ્યા હોય તો તેનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ પ્રયત્ન કરવો કે પૂજા વખતે ઘરના બધા જ સભ્યોનું મુખ પુર્વ તરફ હોય. બીજુ કે પૂજાના સ્થળની સાફ સફાઈ કરીને જ પૂજા કરવા માટે બેસવું. પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતાં દિવાને ફટાકડા ફોડવા માટે ઉપયોગમાં ન લેવા. પૂજાના સ્થળની સામે અને તેની સાથે લાગતો કોઈ પણ ટોયલેટનો દરવાનો ન હોવો જોઈએ. સીડીની નીચે કે કોઈ સ્ટોર રૂમને દિવાળીની પૂજા કરવા માટે ઉપયોગમાં ન લેવી જોઈએ.

સૌજન્ય : વાસ્તુ એવં જ્યોતિષ