શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (06:08 IST)

કરોડપતિ બનવા માટે અજમાવો ફક્ત આ 5 વિશેષ ઉપાય

વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળ પર અથવા તો કર્મના બળ પર. પણ ક્યારેક ક્યારેક આ બંને બળ  સમાપ્ત થઈ જાય છે તો કહેવાય છેકે નિર્બળ બળ રામ કે ધર્મના કરો કોઈ ઉપાય.  ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો  લમી માતાનુ પૂજન કરે છે તો કેટલાક તુલસીનો છોડ ઘરમાં મુકીને રોજ સવાર સાંજ ઘી નો દીવો પ્રગટાવે છે અને  કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ ચઢાવે છે. પણ અહી રજુ છે 5 વિશેષ  ઉપાય. 
                                                                             

                                                                                    આગળ જુઓ આ ખાસ ઉપાય ........ 

1. લક્ષ્મીનુ પ્રતિક કોડિયો - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે.  કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીન એ એને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. કોડિયો સિવાય એક નારિયળની વિધિ-વિધાનથી પૂજા કરીને એને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂદી દો. 


                                                                                                  આગળ  જુઓ શંખનું  મહ્ત્વ ....
2. શંખનુ મહત્વ - શંખ સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ અનમોલ રત્નમાંથી એક છે. લક્ષ્મી સાથે ઉત્પન્ન હોવાના કારણે એને લક્ષ્મીની ભાઈ પણ કહેવાય છે. આ જ કારણે જેના ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીના વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર રાખો. 
3. ઈશાન કોણ - ઘરના ઈશાન કોણ હમેશા ખાલી રાખો. હોય તો ત્યાં એક જળ ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળના એક કળશ પણ રાખી શકો છો. 
4. પીપળની પૂજા- દરેક શનિવારે પીપળને જળ ચઢાવીને એમની પૂજા કરશો તો ધન અને સમૃદ્દિમાં વધારો થશે. 
5. બાંસુરી રાખો  ઘરમાં- બાંસ નિર્મિત બાંસુરી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જેના ઘરમાં બાંસૂરી રાખી હોય છે. ત્યાં લોકોમાં પર્સ્પર પ્રેમ તો બન્યું રહે છે સાથે ઘરમાં સુખ - સમૃદ્ધિ પણ રહે છે.