મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ પ્રમાણે ધનલાભના કેટલાક નુસ્ખા

- જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો ઘરના પ્રવેશદ્વારા પાસે બેસેલા ગણપતિની મૂર્તિઓ એવી રીતે ગોઠવવી કે જેમાં બંન્નીને પીઠ એકબીજાની પીઠને અડે. આવુ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. 

- આવક વધારવી હોય તો લાલ રિબનમાં તાબાનો સિક્કો મુકીને તેને દરવાજા પર બાંધી દો.

- સત્યનારાયણની પૂજા વર્ષમાં એકાદવાર કરાવતા રહેવુ જોઈએ, આવુ કરવાથી લક્ષ્મીનો સ્થાયી નિવાસ થશેમ,

- જો ઘરમાં લડાઈ-ઝગડો થતો રહેતો હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો એક ચાંદીનો ઢાંકણવાળા લોટાના ઢાંકણમાં કાણુ પાડી ેમા દોરો પરોવી ઘરના ઉત્તર-પૂર્વમાંલટકાવી દો.

- પીપળાના ઝાડના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, દૂધ, ખાંડ, ધી ભેગા કરીને પીપળાના મૂળમાં નાંખવાથી ઘરમાં શાંતિ રહે છે અને લક્ષ્મીનો વાસ રહે છે.