ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: એડિલેડ. , શનિવાર, 7 ફેબ્રુઆરી 2015 (17:37 IST)

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાને લાગ્યો મોટો ઝટકો

ભારતીય ટીમમાં ઘાયલ ખેલાડીઓની વધતી ચિંતાની વચ્ચે અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્મા શનિવારે અભ્યાસ દરમિયાન પોતાની ફિટનેસ સાબિત કરવાથી ચુકી ગયા અને હવે શક્યતા વધી ગઈ છેકે 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલ વિશ્વકપમાં તેમના સ્થાન પર મોહિત શર્માનો સમાવેશ કરવામાં  આવ્યો. 
 
ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર ઈશાંત છેલ્લા કેટલાક સમયથી ઘાયલ છે અને વિશ્વકપ પહેલા પોતાની ફિટનેસને સાબિત કરવામાં લાગ્યા છે. તેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં ઉપચારમાંથી પસાર થઈ રહ્યા છે. અને કડક ટ્રેનિંગ પણ કરી રહ્યા છે. પણ જાણવા મળ્યુ છે કે દિલ્હીના ઈશનત શનિવારે થયેલ ટીમના અભ્યસ દરમિયાન પોતાની ફિટનેસ સાબિત નહી કરી શકે. આવામાં શક્યતા વધી ગઈ છે કે ઈશાંતના સ્થાન પર ટીમ ઈંડિયામાં મોહિતનો સમાવેશ કરવામાં આવે. ગત ચેમ્પિયન ટીમ ઈંડિયા માટે ઈશાંત સાથે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની પણ ફિટનેસ ચિંતાનો વિષય બની છે અને વિશ્વકપમાં ભુવીના રમવાને લઈને પણ શકાના વાદળ છવાયા છે. 
 
 
ઈશાંત અને ભુવનેશ્વર ઉપરાંત ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પણ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેમની હાજરીને લઈને પણ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી.