હાલની પરીસ્થિતિ જોતા ઉપરોકત બાબત હિતવહ છે. પરંતુ જો લગ્ન કરનાર જોડામાથી કોઈ પણનો પોજીટીવ કેસ મળી આવે તો લગ્ન કર્યા પહેલા જ આવી મુશ્કેલીમાથી બચી શકાય જે બન્ને પક્ષ માટે ફાયદાકારક તો છે જ પણ તેટલુ જ મુશ્કેલીભર્યુ પણ છે, કારણ કે જો લગ્ન પહેલા એડ્સની જાણ થતા જ 100 ટકાની વાત છે કે તે લગ્નથી જોડાવાનો સબધ ત્યાજ ખતમ થઇ જશે. અને તેની સાથે સાથે દરેક સમાજમા લગ્ન પહેલા ગેર વ્યાજબી સબંધો બાધનારાઓ ઉપર કંટ્રોલ થશે અને છોકરા છોકરીઓ એકબીજા સાથે પુરા વિસ્વાસથી લગ્ન ગ્રંથીથી જોડાશે તે વધુ સારુ રહેશે, પણ જો ઉપરોકત વિધેયનો અમલ કરવામા આવે તો ફક્ત તપાસ માટે સરકારી હોસ્પીટલ માન્ય રાખવી વધુ સારુ રહેશે.