શું આમ કરવાથી આખો દેશ સુરક્ષિત બની ગયો કહેવાશે? જો દેશ સુરક્ષિત છે તો દેશની પ્રજા પણ
સુરક્ષિત રહેશે, અને પ્રજા સુરક્ષિત છે તો સમજવુ કે દેશના તમામ પ્રતિસ્થાનો પણ સુરક્ષિત રહી શકશે. પરંતુ તે માટે આતંકવાદ નિરોધી કાનૂન બનાવવાની જરુર છે, દેશ અને દેશની પ્રજાને સુરક્ષિત રાખવા માટેનો ઉપાય છે. પરંતુ કેન્દ્રમા સત્તાધારી પાર્ટી કોગ્રેસની સરકાર તેમજ અન્ય રાજકિય પક્ષો આ કાનૂન બનાવવામા શા માટે આના કાની કરી જે જરુરી છે તે મુદ્દો બાજુમા રાખી દે છે, અને દેશને અને દેશની પ્રજાને સુરક્ષિત રાખવાના લોભામણા પ્રવચનો કરે છે જે ટાળી દઇ નિશ્ઠાથી કોઇ પણ પ્રકારની ખામી વગર આ કડક કાનૂન બનાવવાની જરુર છે. સાચા દિલથી પ્રજાએ સરકારને કેંદ્રમા સતત બીજી વાર સત્તા અપાવી છે તો હાલની સરકારે કોઇની ભૈઇબાપુડી કરવાથી નહી, પરંતુ સરકારે પોતે જ આ કાનૂન બનાવવાની જરુર છે સર્વ રાજકીય પક્ષોને સાથે રાખી આતંકવાદના મુખમા ધકેલાઇ રહેલા દેશને આતંકવાદના ખતરાથી બચાઇ લેવાની જરુર છે, સાથે સાથે જે આતંકવાદીઓએ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે જેમને તાત્કાલીક ફાસી આપવામા આવે. અગત્યનો પોઇન્ટ :- આતંકવાદી જેલમા શું શીખી લીધું? શું કર્યુ? શું ખાધુ ને પીધું?