સરકારી મશીનરીની મદદથી આયોજન પુર્વક હુલ્લડ કરાવવામા આવેલ છે. મોદીએ હુલ્લડ દરમ્યાન લોકો ને શાંતીની અપીલ કરેલ નથી કે રાહત કેમ્પની મુલાકાત લીધેલ નથી. જે તેમની કોમવાદી માનસિકતા છતી કરે છે.મોદી દેશના બંધારણ મુજબ વર્ત્યા નથી. તેઓ રાજ્યની દસ ટકા લધુમતીથી, નેવુ ટકા બહુમતીને ડરાવે છે, કે જે લઘુમતી વહીવટી તંત્રમા બે ટકા પણ નથી.. ક્રીમીનલ ગુન્હામા લોકપ્રીયતાને ધ્યાનમા લેવી ન જોઈએ. હીટલર જર્મનીમા ઘણો લોકપ્રિય હતો પરંતુ તેણે પોતાના દેશના લોકોની તથા બીજા દેશના લાખો લોકોની કત્લ કરાવી. સલમાન ખાન કે સંજયદત્ત ગમે તેટલા લોકપ્રિય હોય પરંતુ ક્રીમીનલ ગુન્હામા તેમને માફ ન કરી શકાય.અગાઉના હુલ્લડોના બીનપાયેદાર દસ્ટાંતો ટાંકીને મોદીને નિર્દોસ સાબિત કરી શકાય તેમ નથી.