અષાઢી બીજ, તા.૧૩ જુલાઇ, મંગળવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી દબદબાપૂર્વક નગરચર્યાએ નીકળશે. જગન્નાથજી મંદિર-જમાલપુર દરવાજાથી પરંપરાગત ૧૩૩મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭ વાગ્યે થશે. જેનો પ્રારંભ સવારે ૭ વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ‘પહિંદ વિધિ’થી અને ભગવાનનો રથ ખેંચી કરાવશે. આ વર્ષે ગુજરાતના સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણી અને અમદાવાદના ૬૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે વિશિષ્ટ પ્રાર્થના તથા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
આ અંગે માહિતી આપતા જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે ૧૩૩મી રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેમાં ૧૮ શણગારેલા ગજરાજ, ૯૮ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડાઓ, ૧૮ ભજનમંડળીઓ, ૩ બેન્ડવાજાવાળાઓ પણ જોડાશે. જ્યારે ૧૨૦૦થી વધુ ખલાસી ભાઇઓ ભગવાનનાં રથ ખેંચશે.
તેમણે કહ્યું કે આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૩૦૦૦ કરતાં પણ વધુ સાધુ-સંતો હરિદ્વાર, ઉજ્જૈન, વારાણસી, અયોધ્યા, નાશિક, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી પણ આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ૨૦૦૦૦ કિલો મગ, ૪૦૦ કિલો જાંબુ, ૧૦૦ કિલો કેરી, ૧૦૦ કિલો કાકડી, દાડમ અને બે લાખ ઉપરણાનો પ્રસાદ ભક્તોને આપવા