દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ એક બીજાને તેઓ હજુ સુધી ભૂલાવી નથી શક્યા અને તેમણે ફરીથી એક થવાની આશા જીવંત રાખી છે.
તાજેતરમાં જ દીપિકાએ એક નવો ટેટૂ બનાવ્યો. એ ઈચ્છતી તો પોતાની ગરદન પર બનાવેલ ટેટૂ 'આરકે' હટાવી શકતી હતી પરંતુ તેણે એવુ ન કર્યુ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 'આરકે' લખેલ ટેટૂ દીપિકાએ એ સમયે બનાવ્યો હતો જ્યારે તેનો અને રણબીરનો રોમાંસ પૂરજોશમાં હતો. બંને એકબીજાના પ્રેમના દિવાના હતા. રણબીરના પ્રત્યે પ્રેમ બતાવવા માટે દીપિકાએ આ ટેટૂ બનાવડાવ્યો.
સૂત્રોનુ કહેવુ છે કે દીપિકાએ જ્યારે ટેટૂ બનાવ્યો ત્યારે તે 'આરકે' લખેલ ટેટૂ મટાવી શકતી હતી, પરંતુ તેણે આવુ ન કર્યુ. આવુ કરવાથી રણબીરને ગેરસમજ થતી અને બંનેના એક થવાની શક્યતાનો અંત થઈ જતો.