જો સાક્ષી તરીકે માણસ જે બોલે તે માન્ય રાખી લેવામા આવે તો પછી શું બાકી રહેશે? કોને ખબર નથી કે અમીન પોતાના બચાવ માટે આ તખ્તો ઘડયો છે. કોઇ પણ વ્યક્તિ પોતાના બચાવ માટે ન કરવાનુ અને ન બોલવાનુ પણ બોલી શકે છે સી.બી.આઇ ચાહે તેવા પુરાવાઓ માટે આવું કરવામા આવી રહ્યુ છે? આ મામલામા સી.બી.આઇ પોતાની રીતે તપાસ કરવાને બદલે ગૂનેગારને જ સાથે રાખી આ રીતે ફોડતી હોય તો દેશમા શું થશે? એનો અર્થ એવો થયો કે સી.બી.આઇ પોતાની રીતે તપાસ કરવામા નિશ્ફળ છે? અને જેથી આ મામલાને અવળા રસ્તે ચડાવવાની કોશિસ છે કેમ કે સી.બી.આઇ. જેવી સંસ્થાનુ અને અમીનના નાટકમા આ મામલો જોતા સી.બી.આઇ અને કૉર્ટે તમામ આરોપીઓને એક નજરે જોવાની જરુર છે નહી કે આરોપીઓમાથી જ કોઇ એકને બચાવી લેવા માટે કોણીએ ગોળ ચોટાડી સાક્ષી બનાવવો શું આ આપણા દેશની સી.બી.આઇ નુ કામ છે? આવું કોના માટે થઇ રહ્યુ છે?