જમ્મુ કાશ્મીરમાં ઈરાનના એક ટીવી ચેનલ પર કુરાન મુદ્દા પછી રોક લગાવી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર સરકારે સોમવારે સ્થાનીય કેબલ સંચાલકો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલ ઈરાની ટેલીવિઝન ચેનલ પ્રેસ ટીવી પર એ સમયે રોક લગાવી દીધી, જ્યારે ઘાટીમાં પ્રદર્શનકારી આ અફવા પર કરફ્યુનુ ઉલ્લંઘન કરી ગલીઓમાં નીકળી આવ્યા કે અમેરિકામાં કુરાનને અપવિત્ર કરી દીધુ છે.
રાજ્યના મુખ્ય સચિવ એસ.એસ.કપૂરે કહ્યુ 'અમે લોકોને અપીલ કરી છે કે તેઓ સત્ય જાણ્યા વગર કોઈ સમાચાર પર વિશ્વાસ ન કરે, કારણ કે ફક્ત પ્રેસ ટીવી પર કથિત રૂપે પવિત્ર કુરાનને અપવિત્ર કરવાના સમાચાર પ્રસારિત થયા છે, દુનિયાની બીજી કોઈ સમાચાર ચેનલ પર નહી.' કપૂરે સંવાદદાતા સંમેલનમાં કહ્યુ, 'અમે સ્થાનીય કેબલ સંચાલકો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલ પ્રેસ ટીવી પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.'
મુખ્ય સચિવે ઈરાની ચેનલ પર સામચાર આવ્યા પછી ઉત્તરી કાશ્મીરના તમાંગ ગામમાં ઉગ્ર ભીડ દ્વારા ઈસાઈ મિશનરી સ્કૂલ પર હુમલો કરવાની ઘટનાને 'દુર્ભાગ્યપૂર્ણ' બતાવી. તેમણે કહ્યુ, 'આ અફવા ધર્મ વિરોધી કારસ્તાનનુ રૂપ આપતા અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવી છે. લોકોએ આ બધા પર