''યમલા પગલા દિવાના' ફિલ્મ દ્વારા. નામ મોટા દર્શન ખોટા' એક વાર ફરી આ કહેવત ખોટી સાબિત થઈ ગઈ છે.ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલને લાગી રહ્યુ હતુ કે એ ત્રણેયની તિકડી કંઈક કમાલ કરી બતાવશે અને ખરેખર એવું જ કરી બતાવ્યું.
આવુ જ કંઈક દેઓલ્સ ફેંસને પણ લાગતુ હતુ. અને એમજ થયું. અને એમની આશા હકીકત માં પરિણામી.
વાર્તા શરૂ થાય છે કનાડામાં પરમજીત સિંહ(સની દેઓલ)ના ઘરેથી જ્યા એ પોતાની પત્ની, બે બાળકો અને માતા સાથે રહે છે અને પોતાના છુટા પડેલા પિતા ધરમસિંહ(ધર્મેન્દ્ર)અને પોતાનો નાનો ભાઈ ગજોધર(બોબી દેઓલ) ને ઈંટરનેટ પર શોધતો રહે છે. એક મહેમાનને કારણે તેને પોતા અને ભાઈની જાણ થાય છે અને તે તેમની શોધમાં ભારત આવી જાય છે.
ભારત આવતા તેની મુલાકાત ટૂંલ સમયમાં જ ઠગ ભાઈ સાથે થાય છે. પ્રથમ જ મુલાકાતમાં ગજોધર સિંહ પોતાના એનઆરઆઈ ભાઈને ઠગી લે છે. પછી પરમજીત સિંહની મુલાકાત પોતાના પિતા સાથે થાય છે જે તેને પુત્ર માનવાની ના પાડી દે છે. પરંતુ છતા પરમજીત હિમંત નથી હારતો અને ઠગોની ટીમમાં જોડાય જાય છે, કારણ કે તેણે પોતાની માતાને પિતા અને ભાઈને પરત લાવવનુ વચન આપ્યુ હતુ.
આ દરમિયાન ગજોધરને પંજાબથી, બનારસ પર એક પુસ્તક લખવા આવે