ભાઇ ગજેન્દ્ર,
મઝામાં?
નારાયણભાઇનો અહેવાલ વાંચી ગયો. સારો છે. અભિનંદન.
ઘ્યાને ચડેલા કેટલાક મુદ્દા ઃ નારાયણભાઇ ગાંધીજીના ‘અંતેવાસી’ ન કહી શકાય. એ જ રીતે, ગાંધીવિચારો દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો તેમનો પ્રયત્ન સારો અવશ્ય છે, પણ તેને ‘સફળ’ ન કહી શકાય. આ વ્યવસાયિક અહેવાલ હોય તો ‘એમનું જીવન અને કાર્ય વંદનીય છે’ એ વાક્ય ટાળવું જોઇએ. અંગત અહેવાલ હોય તો પણ કાર્યને વંદનીય ગણી શકાય. જીવનને વંદનીય ગણવામાં ઘણા સવાલો થઇ શકે છે. ખુદ નારાયણભાઇ પણ કદાચ એવું ન ઇચ્છે. અતિઆદરના હુમલાથી બચવામાં મઝા છે.
શુભેચ્છા સહ
ઉર્વીશ કોઠારી
www.urvishkothari-gujarati.blogspot.com