અઠંગ શિવભક્ત અને પરમ પરાક્રમી રાવણ પ્રકાંડ પંડિત પણ હતો. ભગવાન રામ સાથે બાથ ભિડવાની હિંમત માત્ર રાવણે જ કરી હતી. જોકે, તત્કાલિન ઈતિહાસકારોએ રાવણની છબીને ખરડવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. જેથી આજે રાવણને લોકો અપૂજ્ય ગણે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, રાવણ શાસ્ત્રોનો જાણકાર અને અત્યંત શક્તિશાળી વ્યક્તિ હતો. તેથી જ માત્ર શ્રીલંકામાં જ નહીં ભારતમાં પણ તેની પૂજા થાય છે.