મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (00:13 IST)

Indian Railway: ચાલતી ટ્રેનમાં ડ્રાઈવર સૂઈ જાય તો? 99% લોકો રેલવેની આ સિસ્ટમને જાણતા નથી

Indian Railway Facts: ભારતીય રેલ (Indian Railway) દુનિયાના ચોથો અને એશિયાના બીજુ સૌથી મોટુ રેલ નેટવર્ક છે. ટ્રેન એક એવુ યાતાયાતનો સાધન છે. જેમાં દરેક વર્ગનો વ્યક્તિ યાત્રા કરે છે. જો તમે પણ ક્યારે ટ્રેનમાં સફલ કર્યો છે તો તમને ખબર હશે કે આખી ટ્રેનમાં એક ઈંજન દ્વારા કંટ્રોલ કરાય છે. તેમજ,  ટ્રેનના ઈંજનનો ડ્રાઈવર હોય છે, જેને લોકો પાયલટ કહેવાય છે. પણ વિચારીને જોઈએ કે જો ટ્રેનના ડ્રાઈવરને ઉંઘ આવી જાય તો શું થશે? શુ% ટ્રેન કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર થઈ જશે? આવો જણાવીએ છે. 
 
ટ્રેનમાં હોય છે બે ડ્રાઈવર 
તમને આ ખબર હશે કે ટ્રેનમાં એક સાથે હજારો યાત્રી પ્રવાસ કરે છે. તેથી ડ્રાઈવરના સૂઈ જવાથી કોઈ દુર્ઘટના ન હોય તેના માટે એક ઉકેલ કાઢવામાં આવે છે. તમને 
 
જણાવીએ કે ટૃએનમાં ડ્રાઈવરના સિવાય એક અસિસ્ટેંટ ડ્રાઈવર પણ હોય છે. જો એક ડ્રાઈવર સૂઈ જાય છે કે પછી કોઈ પરેશાની થયા છે, તો અસિસ્ટેંટ ડ્રાઈવર તેને જગાડે છે. કોઈ ગંભીર પરેશાની થવાની સ્થિતિમાં જો આવતા સ્ટેશન પર તેની સૂચના અપાય છે અને ટ્રેનને રોકાય છે. તે પછી સ્ટેશનથી ટ્રેનમાં નવો ડ્રાઈવર આપીએ છે. 
 
જો બન્ને સૂઈ જાય તો 
ઘણા લોકોના મનમાં આ પણ આવી રહ્યો હશે કે બન્ને ડ્રાઈવર સૂઈ જાય તો પછી શું થશે. તો તમને જણાવીએ કે આવુ થવાની શકયતા ખૂબ ઓછી છે. પણ તોય પણ રેલ્વેએ તેના માટે ટ્રેનના ઈંજનમાં "વિજીલેંસ કંટ્રોલ ડિવાઈસ" લગાયેલુ હોય છે. ટ્રેનના ઈંજનમાં લાગેલુ આ ડિવાઈસ આ ધ્યાન રાખે છે કે જો ડ્રાઈવરએ એક મિનિટ સુધી કોઈ પેઅતિક્રિયા નહી કરાય તો 17 સેકંડની અંદર એક ઑડિયો વિજુઅલ ઈંડીકેશન આવે છે. ડ્રાઈવરને તેના બટનને દબાવીને સ્વીકાર કરવો હોય છે. જો ડ્રાઈવર આ ઈંડીકેશનનો જવાબ નથી આપે તો 17 સેકંડ પછી ઑટોમેટીક બ્રેક લાગવા શરૂ થઈ જાય છે. 
 
પોતે રોકાઈ જાય છે ટ્રેન 
ડ્રાઈવરને ટ્રેન ચલાવતા સમયે વાર-વાર સ્પીડને ઓછી-વધારવી અને હાર્ન વગાડવુ હોય છે. એટલે કે ડ્રાઈવર ડ્યૂટીના સમયે પૂર્ણ રીતે એક્ટિવ રહે છે. જો તે એક મિનિટ સુધી કોઈ રેસ્પીંસ નથી કરે તો રેલ્વે આ ઑડિયો વિજુઅલ ઈંડીકેશન મોકલે છે. ડ્રાઈવરની તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા 1 કિમીની દૂરી પર જ ટ્રેન રોકાઈ જાય છે અને ટ્રેનની અંદર રહેલ બીજા રેલ્વે કર્મચારી બાબતની તપાસ લે છે આ રીતે રેલ્વે મોટી દુર્ઘટનાને થવાથી રોકી લે છે.