શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી
Written By કલ્યાણી દેશમુખ|

દક્ષિણિ ઓમકાર

ગુરુજી જ્યારે દક્ષિણ ભારતના પ્રવાસે હતા ત્યારે નર્મદા નદીના તટ પર તેમણે આ વાણીની રચના કરી. આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.

ગુરુજીએ પંડિતોને એક ઓમનું મહત્વ બતાવતા કહ્યું કે ઈશ્વર એક જ છે. જે વ્યક્તિ નિ:સ્વાર્થે ભાવે સેવા કરે છે તે હલકો બનીને લાકડીની જેમ ભવસાગર તરી જાય છે.