આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈની ફાંસીનુ કારણ 249 કરોડનુ રૂપિયાનુ કર્જ હતુ ?

જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે 3.30 વાગ્યે મુંબઈ નજીક કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

PR

નિતિને દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત 1987માં ટીવી શો 'તમસ'થી કરી હતી. તે એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયા હતા.

નીતિને હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા હતા.

તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. છેલ્લી વાર તેમણે પાણીપત ફિલ્મ માટે કામ કર્યું હતું.

નીતિને કહ્યું હતું કે તેણે બ્રાડ પિટની ફિલ્મમાં કામ ન કરવાની ઈચ્છાથી એનડી સ્ટુડિયો બનાવ્યો હતો.

આમિર ખાનની ફિલ્મ 'મંગલ પાંડે - ધ રાઈઝિંગ'નું પ્રથમ શૂટિંગ એનડી સ્ટુડિયોમાં થયું હતું.જોધા અકબર માટે ઐશ્વર્યા રાય, રિતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યા હતા.

સલમાન ખાનની દરેક મોટી ફિલ્મો જેમ કે વોન્ટેડ, બોડીગાર્ડ, પ્રેમ રતન ધન પાયો, કિક, તમામનું શૂટિંગ એનડી સ્ટુડિયોમાં થયું છે.

દેસાઈએ 7 મહિનાથી સ્ટાફને પગાર આપ્યો ન હતો, સ્ટુડિયો મેનેજર સહિત મોટાભાગના સ્ટાફે નોકરી છોડી દીધી હતી.

નીતિન દેસાઈએ એક કંપની પાસેથી 180 કરોડની લોન લીધી હતી, જે હવે વધીને લગભગ 249 કરોડ રૂપિયા થઈ ગઈ છે.