હોલિકા દહનની રાખથી કરો આ ખાસ ઉપાય, ગૃહ ક્લેશ અને બીમારીઓથી મળશે મુક્તિ

હોલિકા દહનની રાખને ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા છે કે જો હોળીની રાખથી કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનમાં ખુશીઓનુ આગમન થાય છે. આવો જાણીએ કેટલાક ચમત્કારિક ઉપાય વિશે

social media

હોળી દહન પછી જે રાખ બચી જાય છે જો તેને ઘરે લાવીને ઘરના દરેક ખૂણામાં છાંટી દેવામાં આવે તો વાસ્તુદોષ દૂર થાય છે

હોલિકાની રાખને આખા ઘરમાં છાંટવાથી પરિવાર વચ્ચે મનમોટાવ થતો નથી. આવ કરતી વખતે તમને કોઈ જુએ નહી આ વાતનુ ધ્યાન રાખો. ઘરમાં ક્લેશ થતો નથી

હોળીની રાખ ખૂબ જ પવિત્ર હોય છે. તેને ઘરમાં રાખવાથી રાહુ, કેતુની ખરાબ નજર દૂર રહે છે. સાથે જ ઘરમાં બીમારીનો વાસ રહેતો નથી

જો કુંડળીમાં રાહુ કેતુ નબળા હોય તો પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો આવુ હોય તો હોળીની ભસ્મ એક લોટો પાણીમાં નાખી તેને શિવલિંગ પર અર્પિત કરો.

નજર દોષને દૂર કરવા માટે હોલિકા દહનમાં એક પાનમાં બે લવિંગ અને એક બતાશુ મુકીને અર્પિત કરો. ત્યારબાદ હોલિકા દહનની રાખ લાવીને તાવીજમાં બાંધી લો અને ગળામાં પહેરો

નવગ્રહોના દુષ્પ્રભાવથી બચવા માટે હોલિકાની આ રાખને ન્હાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવુ જોઈએ. તેનાથી માનસિક, આર્થિક અને શારીરિક રૂપે ફાયદો થાય છે.