નહાવાના પાણીમાં શું નાખવું જોઈએ ?

સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે નહાવાના પાણીમાં શું મિક્સ કરવું જોઈએ જાણો

webdunia

જો તમારે નેગેટિવિટી દૂર કરવી હોય તો પાણીમાં ચપટી મીઠું નાખીને સ્નાન કરો. તે વાળ અને ત્વચાને સાફ કરે છે અને પીડામાં રાહત આપે છે.

જો તમે પાપોમાંથી મુક્તિ મેળવવા અને પુણ્ય મેળવવા માંગતા હોય થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરતી વખતે આ મંત્રનો પાઠ કરતા સ્નાન કરો

જો તમે શુક્રના દોષોને દૂર કરીને ધનવાન બનવા માંગતા હોય અને સુખી દામ્પત્ય જીવન ઈચ્છતા હોવ તો શુક્રવારે ફટકડીના પાણીમાં મિક્ષ કરીને સ્નાન કરો.

જો તમારે પવિત્રતા અને શુભતા તેમજ ચહેરા પર ચમક જોઈતી હોય તો નહાવાના પાણીમાં ચંદન મિકસ કરીને સ્નાન કરો.

જો તમે ગુરુ ગ્રહના દોષ અને દુર્ભાગ્યને દૂર કરીને તમારી ત્વચાને સુધારવા માંગતા હોય તો ગુરુવારે થોડી હળદર મિક્સ કરીને પાણીથી સ્નાન કરો.

જો તમે ઘી અથવા દૂધ મિક્સ કરીને સ્નાન કરો છો, તો નેગેટીવીટી દૂર થાય છે અને તમને રોગોથી મુક્તિ મળે છે. ખરાબ સમય પૂરો થાય છે.

જો તમે રાહુ, કેતુ, ચંદ્ર અને શુક્રના દોષોને દૂર કરીને નેગેટીવીટી દૂર કરવા માંગો છો તો પાણીમાં કપૂરનો એક ટુકડો નાખો

ભાગ્યને મજબૂત કરવા અને ગરીબી દૂર કરવા માટે તલથી સ્નાન કરો.

નહાવાના પાણીમાં પરફ્યુમ ભેળવીને સ્નાન કરો તો શુક્રના દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.