એસીડિટીને ઘટાડવા માટે 5 ઘરેલુ ઉપાય

ખાનપાનમાં ગડબડને કારણે એસિડીટી અને ગેસ થઈ જાય છે, રસોડામાં રહેલી સામગ્રીથી તમે એસીડીટીની સમસ્યાને દૂર કરી શકો છો.

social media

તમે જમ્યા પછી તરત જ વરિયાળી ચાવી શકો છો અથવા જો તમને પેટમાં એસિડિટીનો અનુભવ થાય છે તો તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો.

વરિયાળીનું પાણી બનાવવા માટે તમારે વરિયાળીને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને આ પાણી પીવો.

પાચનક્રિયા સુધારવામાં તજ ખૂબ જ અસરકારક છે. તેનો ઉપયોગ ગેસ્ટ્રિક સમસ્યાઓ માટે થાય છે

તમે તજની ચા દૂધ વગર બનાવી શકો છો કે પાણીમાં મિક્સ કરીને પી શકો છો. જેનાથી તમને રાહત મળશે.

લૈક્ટિક એસિડ વાળી છાશ એસીડીટીમાં તરત જ રાહત આપે છે. તેમા એક ચપટી સંચળ કે ધાણા તોડીને નાખો અને ઠંડુ ઠંડુ પીવો.

એસિડિટી દૂર કરવા માટે તમે લવિંગ અને એલચીને સમાન માત્રામાં ખાઈ શકો છો. તમે એકલા પણ લવિંગનું સેવન કરી શકો છો.

આમળા એ અપચો અને હાર્ટબર્નને દૂર કરવા માટેનો એક શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે.

તમે આમળાને ઉકાળીને તડકામાં સૂકવી શકો છો અથવા સૂકા મોઢામાં મુકવા માટે સુકા આમળાનુ પેકેટ ખરીદી શકો છો.