Alwar Fort - ભારતના આ કિલ્લાને 'કુંવારો કિલ્લો' કહે છે, જાણો કેમ ?

ભારતમાં અનેક પ્રકારના કિલ્લા જે પોતાની વિશેષતા માટે ઓળખાય છે, આવો જ એક કિલ્લો છે જેમા એક પણ યુદ્ધ થયુ નથી

webdunia

અમે વાત કરી રહ્યા છીએ અલવર ફોર્ટ ની જે રાજસ્થાનના અલવર જીલ્લામાં આવેલો છે.

આ કિલ્લાનું નિર્માણ કાર્ય 1492 એડીમાં હસન ખાન મેવાતી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

1775 માં, આ કિલ્લા પર મહારાવ રાજા પ્રતાપ સિંહનું શાસન હતું, જેમણે અલવરની સ્થાપના કરી હતી.

આ કિલ્લાની ખાસ વાત એ છે કે ઈતિહાસમાં આ કિલ્લા પર ક્યારેય યુદ્ધ થયું નથી.

આ કારણે આ કિલ્લાને કુંવારો કિલ્લો પણ કહેવામાં આવે છે.

એવુ કહેવાય છે કે આ કિલ્લામાં મુગલ શાસક બાબર અને જહાંગીર રહી ચુક્યા છે.

આ કિલ્લો 5 કિલોમીટર લાંબો અને લગભગ 1.5 કિલોમીટર પહોળો છે. કિલ્લામાં આવવા જવા માટે કુલ 6 દરવાજા હતા.