માટલાનુ પાણી પીવાના 10 ફાયદા
ગરમીમાં માટીના ઘડા કે માટલાનુ પાણી પીવામાં આવે છે જાણો માટલાનુ પાણી પીવાના 10 ફાયદા
webdunia
ગરમીમાં માટીના માટલા કે ઘડામાં મુકેલા પાણીની ગુણવત્તા વધી જાય છે.
માટલામાં માટીના ખાસ ગુણ હોય છે જે પાણીની અશુદ્ધિઓને દૂર કરી મિનરલ્સ પ્રદાન કરે છે.
માટલાનુ પાણી આપણા શરીરના ઝેરીલા તત્વોથી મુક્ત કરીને ઈમ્યૂન સિસ્ટમને સારી બનાવે છે.
ફ્રીજ કરતા પ્રાકૃતિક રૂપે ઠંડુ થયેલ માટલાનુ પાણી શીતલતા પ્રદાન કરે છે.
માટલાનુ પાણી પીવાથી પાચન ક્રિયા સારી રહે છે.
તેને પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનુ સ્તર પણ વધે છે
માટલાનુ પાણી પીવાથી શરીરનો થાક દૂર થાય છે.
માટલાનુ પાણી એસીડિટી અને માથાના દુખાવાની સમસ્યાને દૂર કરે છે.
માટીની ભીની ભીની સુગંધ આનંદ આપીને આપણા મસ્તિષ્કને શાંત કરી તનાવ હટાવે છે.
માટીના ક્ષારીય તત્વ અને પાણીના તત્વ મળીને યોગ્ય પીએચ બેલેંસ બનાવે છે જે શરીરને દરેક રીતે નુકશાનથી બચાવે છે.